અંતિમ પાનું
દરેક પુસ્તકનું
એક અંતિમ પાનું હોય છે.
જીવનનું પણ હશે.
પ્રશ્ન એટલો નથી
કે કેટલાં પાનાં લખ્યાં.
પ્રશ્ન એ છે...
કેટલાં દિલોમાં
આપણી વાર્તા
જીવંત રહી.
જો અંતિમ પાનાં સુધી
પ્રેમ,
પ્રમાણિકતા
અને કરુણા
સાથમાં હોય,
તો આખું જીવન
એક સુંદર પુસ્તક
બની જાય.